સરસ્વતી શિશુમંદિરમાં ગુરૂવારે નવરંગ-2023 કાર્યક્રમ : ગૃહમંત્રી હર્ષ સંઘવી આપશે હાજરી

- text


મોરબી : શક્ત શનાળાની સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં આગામી ગુરુવારે નવરંગ 2023 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજરી આપવાના છે.

વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત મ.જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે તા. તા.20 એપ્રિલને ગુરુવારે રાત્રે 8 કલાકે નવરંગ 2023 સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં પટેલ સમાજવાડી, શક્ત શનાળા ખાતે યોજાશે. જેમાં ઉદઘાટક તરીકે ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ સાથે અતિથી તરીકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઉપસ્થિત રહેશે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

- text

- text