પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ ભડીયાદ ખાતે આંગણવાડીની મુલાકાત લીધી

- text


મોરબી : રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ભડીયાદ ગામની જવાહર સોસાયટી ખાતે આવેલા નંદઘર (આંગણવાડી)ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્થ બાળક, સ્વસ્થ ભારત મિશન અંતર્ગત 3 થી 6 વર્ષના આશરે 25 બાળકોને અપાતો નાસ્તો તેમજ હેલ્થી ફૂડ અંગે બ્રિજેશ મેરજાએ આજ રોજ આંગણવાડી કેન્દ્રમાં તપાસ કરી હતી. આ તકે સંચાલક ભાવનાબેન રામાવત દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા તથા કાઉન્સિલર મનસુખભાઈ બરાસરા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બ્રિજેશભાઈ મેરજાએ જવાહર સોસાયટીમાં એક પરિવારમાં બનેલા કરૂણ પ્રસંગ બાદ હાજરી આપી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

- text

- text