ઉમા હોલમાં કાલે ગુરુવારે હનુમાન જયંતિ નિમિત્તે ચકલી ઘર અને કુંડાનું વિતરણ

- text


સવારે 9થી 12 દરમિયાન આ નિઃશુલ્ક વિતરણનો લાભ લેવા શહેરીજનોને હિરેનભાઇ ભટાસણાની અપીલ

મોરબી : ઉમા હોલમાં કાલે ગુરુવારે હનુમાન જયંતિની સેવામય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં શહેરીજનોને ચકલી ઘર અને કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

મોરબીમાં રવાપર ગામના ઝાંપા પાસે આવેલ ઉમા હોલમાં આવતીકાલે તા.6ને ગુરૂવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી પક્ષીના પાણીના કુંડા અને ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. ઉનાળાના માહોલમાં પાણી વિના કોઈ પક્ષીનું મૃત્યુ ન પામે તેની જવાબદારી દરેક માનવીની છે તો આ માનવતાનું કાર્ય કરી આપના મકાન ઉપર પાણીનું પરબ લગાવો. આપની ફેકટરી કે આપના આજુબાજુના સાર્વજનિક જગ્યામાં ઝાડ પર પાણીનું પરબ અને ચકલીઘર બાંધી પંખી પ્રત્યે કરુણા નિભાવવા આ સેવા કાર્યના દાતા હિરેનભાઇ ભટાસણા( ઉમા હોલ) તથા ચંદ્રકાંતભાઈ કોઠિયા (રવાપર) દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

- text