- text
રામ જન્મોત્સવ, મહાયજ્ઞ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા
મોરબીઃ વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનો જન્મોત્વસ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
ગઈકાલે 30 માર્ચ ને રામનવમીના પાવન પર્વ નિમિત્તે સવારે 10 કલાકે મહાયજ્ઞ, બપોરે 12 કલાકે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ, મહાઆરતી તથા બપોરે ફરાળ મહાપ્રસાદ તેમજ સાંજે મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદનું અનેરું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. રામનવમીના પાવન પર્વ નિમિતે શિવ પેકેજીંગ પરિવાર, કમલેશભાઈ પટેલ (હરભોલે જાંબુ) પરિવાર, સવજી નાનજી પંડિત પરિવાર, મોરભાઈ રામજીભાઈ કંઝારીયા પરિવાર તેમજ સી.પી.પોપટ પરિવાર તરફથી મહાપ્રસાદમાં યોગદાન અર્પણ કરવામાં આવ્યું હતું.
- text
- text