- text
મોરબી : મોરબીના શનાળા નજીક ધ્રુવનગર ગામના નિકુલભાઈ હિરજીભાઈ રાજપરા ઉ.28ના વેપારી યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નિકુલભાઈના પત્ની ત્રણ મહિનાથી માવતર ચાલ્યા ગયા હોય ટેનશનમાં રહેવાથી આ આત્યંતિક પગલું ભરી લઈ મૃત્યુ વ્હાલું કર્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text