19 માર્ચે ટંકારાના વાઘગઢ ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

- text


ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામે આવતીકાલે તારીખ 19 માર્ચના રોજ હસમુખભાઈ સિણોજીયાની બીજી વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વાઘગઢ ગામે આવતીકાલે રવિવારે સાંજે 4-30 થી 7-30 સુધી પટેલ સમાજવાડી ખાતે વિનામૂલ્યે નિદાન કેમ્પ તેમજ દવાનું વિતરણ કરવામાં આવશે. જેમાં ડો. સચીન ભીમાણી, ડો. યોગેશ પેથાપરા, ડો, ચિરાગ આદ્રોજા, ડો. તૃપ્તિ સાવરીયા (પેથાપરા) અને ડો, વિશાલ બાવરવા સેવા આપશે. તો આ ફ્રી નિદાન કેમ્પનો લ્હાવો લેવા સિણોજીયા પરિવાર દ્વારા સર્વેને જણાવવામાં આવ્યું છે.

- text

- text