મોરબીના અમરનગરમાં ઝેર પી જીવનનો અંત આણતું પ્રેમી યુગલ 

- text


મોરબી : મોરબી તાલુકાના અમરનગર ગામ નજીક આવેલ કોજી સિરામીક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમા રહેતા વિનોદભાઈ મોહનભાઇ બથવાર અને પીન્‍કીબેન દિલીપભાઈ ભુરીયા નામની યુવતીએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.

મોરબીના અમરનગર ખાતે આવેલા કોઝી સીરામીકના લેબર ક્‍વાર્ટરમાં રહેતા વિનોદ મોહનભાઈ બથવાર અને પીન્‍કીબેન દિલીપભાઈ ભુરીયા નામના પ્રેમી યુગલે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા જયાં ફરજ પરના ડોકટરે વિનોદને મૃત જાહેર કરવામાં આવ્‍યો હતો. જયાં પીન્‍કીની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન પીન્‍કીબેનનું પણ મૃત્‍યુ નીપજયુ હતું. બંને એ પ્રેમ સંબધના કારણે સાથે ઝેરી દવા પી મોતને વ્‍હાલું કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

- text

- text