મેનોપોઝમાં થતી તકલીફો અને નિવારણ અંગે 23મીએ નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનાર

- text


સેમિનારમાં જોડાવવા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

મોરબી: ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી તથા રોટરી ક્લબ ઓફ મોરબી અને લાયન્સ ક્લબ ઓફ મોરબીના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 23 માર્ચના રોજ મોરબીના સંસ્કારધામ હોલ ખાતે મેનોપોઝ દરમિયાન થતી તકલીફો અને નિવારણ અંગે નિશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

23 માર્ચે સાંજે 4 થી 6 કલાકે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સ્વામિનારાયણ મંદિર પાસેના સંસ્કારધામ હોલ ખાતે યોજાનાર આ નિ:શુલ્ક સેમિનારમાં ડો. હેમા પટેલ (MD, સ્ત્રીરોગ નિષ્ણાત, સદભાવના હોસ્પિટલ,મોરબી) ઉપસ્થિત રહેશે અને મેનોપોઝ દરમિયાન થતી તકલીફો અને નિવારણ અંગે માર્ગદર્શન આપશે. આ સેમિનાર હાજરી આપવા માટે રજિસ્ટ્રેશન મો. નં. 63514 31554 પર કરાવવા જણાવાયું છે.

- text

- text