સાર્થક વિદ્યામંદિરમાં 500થી વધુ વિધાર્થીનીઓનું નિઃશુલ્ક હિમોગ્લોબીન ચેકીંગ કરાયું

- text


મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં 500થીવધુ વિદ્યાર્થીનીઓનું નિઃશુલ્ક હિમોગ્લોબીન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરી મેડિસિન અને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં 500થી બહેનોનું નિઃશુલ્ક હિમોગ્લોબીન ચેકીગ કરવામાં આવ્યું હતું અને જરૂરી મેડિશન આપવામાં આવી હતી. આજે સાર્થક શાળામાં kcpf ( કૂંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન) સંસ્થા દ્વારા ધોરણ 6 થી 12 ની બહેનોનું હિમોગ્લોબિન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને હિમોગ્લોબિનની ઉણપથી શું નુકસાન થઈ શકે છે? હિમોગ્લોબિન (એટલે કે લોહીના ટકા )ની મેડિસિન ગોળી લેવાની રીત આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર વિશે પણ માહિતી પણ આપવામાં આવી હતી.

- text

- text