મોરબીમાં 3 માર્ચે સાયન્ટિફિક પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના સાયન્ટીફિક ક્લોક પરિવારના નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રીનું 35 વર્ષની નાની વયે અવસાન થયું છે ત્યારે પરિવારજનો દ્વારા નકુલભાઈ મિસ્ત્રીના આત્માને શાંતિ મળે તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરીને અન્યોને પણ પ્રેરણા આપી છે.

ગત 27 ફેબ્રુઆરીના રોજ મોરબીના નકુલભાઈ મિસ્ત્રીનું આકસ્મિક અવસાન થતા આગામી તારીખ 3 માર્ચ ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન તેઓનું બેસણું મોરબીના આલાપ રોડ પર વજેપરના સાયન્ટીફિકની વાડી ખાતે રાખવામાં આવ્યું છે. બેસણાની સાથે સાથે પરિવારજનો દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ માનવતાના કાર્યમાં રક્તદાન કરીને સેવાકાર્યને દીપ પ્રગટાવવા સૌને અપીલ કરવામાં આવી છે.

- text

- text