- text
મોરબી : મોરબીની નવયુગ કેરીઅર એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી મેગા વર્કશોપનું આયોજન આગામી તા.28 ફેબ્રુઆરી થી 9 માર્ચ સુધી કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લાના ઘણા યુવક-યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે PSI / ASI, કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓની તૈયારીઓ કરે છે. તાજેતરમાં જ જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. આ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી 36 કલાકના ફ્રી મેગા વર્કશોપનું આયોજન મોરબીના વિદ્યાર્થીઓ માટે નવયુગ કેરીઅર એકેડમી દ્વારા મોરબીના લીલાપર રોડ પર આવેલા રામોજી ફાર્મ નવયુગ ઈન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ ખાતે તારીખ 28 ફેબ્રુઆરી થી 9 માર્ચ સુધી કરવામાં આવ્યું છે.
આ વર્કશોપમાં ગુજરાતના નામાંકિત ફેકલ્ટીઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનું બારીકાઇથી જ્ઞાન આપવામાં આવશે. પરીક્ષામાં આવતા તમામ વિષયોનું નોલેજ આપવામાં આવશે. વર્કશોપમાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ વર્કશોપમાં મેથ્સ અને રીઝનીંગના માસ્ટર ભૌતિક ઠક્કર તેમજ હિસ્ટ્રીના જાદુગરનું જેને ઉપનામ મળેલું છે તેવા જગતદાન ગઢવી તેમજ તમામ વિષયના નામાંકિત ફેકલ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવશે. સાથે સાથે ભૌતિક ઠક્કર દ્વારા લખાયેલ અને નવયુગ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલ મેથ્સ અને રીઝનીંગની બુક પર 30% જેવું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે મો.નં. 9727247472 પર સંપર્ક કરવા જણાવાયું છે.
- text
સાથે સાથે દરરોજ પરીક્ષામાં પુછાઈ શકે તેવા મહત્વના વનલાઇનર પ્રશ્નના 2 વીડિઓ નવયુગ કેરીઅર એકેડમીના ઇન્સ્ટાગ્રામ પેઈજ પર જોવા મળશે તેમજ ડેઇલી કરંટ અફેર પણ મળશે. ઈન્સ્ટાગ્રામ પેઈજની લિંક https://instagram.com/navyug_academy_morbi?igshid=YmMyMTA2M2Y= ફોલો કરવા જણાવાયું છે.
- text