ટંકારાના જીવાપરમાં નવ નિર્મિત આર્ય સમાજ મંદિરમાં મહાયજ્ઞ કરાયો

- text


 

ટંકારા : સમગ્ર વિશ્વને ખોટી માન્યતાઓ વહેમ અને અંધશ્રદ્ધામાંથી બહાર લાવી સત્યવિદ્યા ‘વેદ’ના જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર મહાન સમાજ સુધારક ક્રાંતિકારી મહર્ષિ દયાનંદ સરસ્વતીના આર્ય સમાજ મંદિરનું નવ નિર્માણ ટંકારાના જીવાપર ગામે કરવામાં આવ્યું છે. જ્યાં આર્ય સમાજના કાર્યકર્તાઓએ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું.

આ અવસરે આર્ય સમાજના ટ્રષ્ટિ વાલજીભાઈ ઢોલરીયાએ વેદ તરફ પાછા વળોના સૂત્ર સાથે આપણી સંસ્કૃતિનું મહત્વનું અંગ વેદોના મહત્વ વિશે પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યું હતું.આ મહાયજ્ઞને સફળ બનાવવા અમરશીભાઈ ઢેઢી, અનિલભાઈ ઢેઢી, મહાદેવભાઈ રંગપડીયા, કાંતિલાલ ડાકા, રમેશભાઈ ડાકા, મનસુખભાઈ હાપલીયા, અરવિંદભાઈ હાપલીયા, ભાવેશભાઈ હાપલીયા પોપટભાઈ ઢોલરીયા, વલ્લભભાઈ હાપલીયા, કાનજીભાઈ લુણાગરિયા નરશીભાઈ લુણાગરિયાએ વગેરેએ યજ્ઞના યજમાન બની જહેમત ઉઠાવી હતી.

- text

- text