- text
મોરબી: ABVP મોરબી શાખા દ્વારા આજરોજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, 14 ફેબ્રુઆરી, 2019ના દિવસે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના 40 જવાનો શહીદ થયા હતા. ત્યારે આજે 14 ફેબ્રુઆરીના રોજ આ શહીદ જવાનોની શહાદતને યાદ કરીને ABVP મોરબી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
- text