માળીયાના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રીસભા યોજાઈ

- text


ખેતર માર્ગનું દબાણ દુર નહીં કરાય તો આત્મવિલોપનની ચીમકી

માળીયા (મી.): ગઈકાલે તારીખ 8 ફેબ્રુઆરી ને બુધવારના રોજ તાલુકાના લક્ષ્મીવાસ ગામે મોરબી જિલ્લા કલેક્ટરની હાજરીમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લક્ષ્મીવાસ ગામે યોજાયેલ આ રાત્રીસભામાં લક્ષ્મીવાસ ગામના મુખ્ય પ્રશ્ન એવા ખેતરના માર્ગનું દબાણ દૂર કરવા બાબતે ગામના ખેડૂતોએ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને એક મહિનામાં માર્ગનું દબાણ દૂર કરીને રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો લક્ષ્મીવાસ ગામના અનિલભાઈ વાલજીભાઈ ગઢીયાએ તમામ ખેડૂતોને સાથે રાખીને કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

- text

 

- text