5 ફેબ્રુઆરીએ મોરબીની સદભાવના હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 5 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સવારે 9-30 થી 1 વાગ્યા સુધી મોરબીની સદભાવના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા મનસુરી સમાજની વાડી ખાતે જનરલ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આવેલી મનસુરી સમાજની વાડી ખાતે યોજાનાર જનરલ ફ્રી નિદાન કેમ્પમાં જનરલ મેડિસીન નિષ્ણાત, સ્ત્રીરોગ અન પ્રસુતિ નિષ્ણાત, હાડકાના સર્જન, બાળકોના નિષ્ણાત અને દાંતના સર્જન સેવા આપી દર્દીઓને તપાસશે. તો આ કેમ્પનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text