પ્રજાસત્તાક પર્વે મોરબીના વૃંદાવન પાર્કમાં ભારત માતાનું પૂજન કરાયું

- text


મોરબી : ગઈકાલે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મોરબી-2માં આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે સામાકાંઠે આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ આરતી અને ત્યારબાદ રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સોસાયટીના ભાઈઓ-બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો. હાજર તમામ વ્યક્તિઓએ ભરતમાતાનું પૂજન કર્યું હતું. ઉપસ્થિત વક્તા મિલનભાઈ પૈડાંએ આ પૂજનનું મહત્વ સમજાવતી રાષ્ટ્રની ઉત્કૃષ્ટ વાતો કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ ભરતભાઈ તેમજ સોસાયટીના રહેવાસી કિશોરભાઈ શુકલના માર્ગદર્શન હેઠળ ભારત માતા પૂજન સમિતિના સભ્યો હિતેશભાઈ, સોહિલભાઈ, બાબુભાઈ, સંદીપભાઈ અને કિશનભાઈ તેમજ દરેક એપાર્ટમેન્ટના પ્રમુખ સભ્યોએ જહેમત ઉઠાવી હતી

- text

- text