- text
મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સતવારા સમાજ અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયાએ સદગત માતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવામાં આવે છે ત્યારે મોરબી સતવારા સમાજના અગ્રણી મોરભાઈ રામજીભાઈ કંઝારીયાના માતુશ્રી સ્વ. રતનબેન રામજીભાઈ કંઝારીયાનુ તાજેતર માં અવસાન થતા કંઝારીયા પરિવાર દ્વારા સદગતનાં સ્મરણાર્થે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ તકે મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર સહીતના અગ્રણીઓએ સદગતને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેમ પ્રમુખ- જલારામ સેવા મંડળ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.
- text
- text