મોરબીઃ ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા શાકોત્સવ યોજાયો

- text


મોરબીઃ મોરબીના ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા ગત તારીખ 15 જાન્યુઆરી ને રવિવારના રોજ ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના શનાળા રોડ પર આવેલા શ્રીજી હોલ ખાતે ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા 15 જાન્યુઆરીએ શાકોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં જેમાં આણંદ રોકડીયા હનુમાન મંદિરના મુખ્ય કોઠારી તેમજ કણભા સ્વામિનારાયણ ગુરુકુલના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણદાસજી સ્વામી સંત મંડળ સાથે પધાર્યા હતા.

આ શાકોત્સવમાં મોરબીના કલેક્ટર જી. ટી. પંડયા તેમજ વરિષ્ઠ પત્રકાર પ્રવિણભાઈ વ્યાસ તેમજ મોરબીના નામાંકીત ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ, ડોક્ટર, બિલ્ડર, વકીલ, એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આસપાસના ગામડાઓથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના દર્શન, આશીર્વાદ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

- text

- text