નેકનામની શ્રી રામ ગૌશાળામાં મકરસંક્રાતિએ વહી દાનની સરવાણી

- text


ટંકારા: ગઈકાલે ઉત્તરાયણના પર્વ નિમિત્તે લોકો ગાય માતાને ઘાસચારો અને ગૌશાળામાં રોકડ રૂપિયાનું દાન આપીને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. ત્યારે નેકનામની શ્રી રામ ગૌશાળામાં મકરસંક્રાંતિ નિમિત્તે દાતાઓએ ખોબલે ને ખોબલે દાન આપ્યું હતું.

દાતાઓ, ગ્રામજનો અને આસપાસના કારખાનેદારોએ શ્રી રામ ગૌશાળામાં આશરે 80 હજાર રૂપિયા રોકડ અને 30 ગણી ચારો દાન આપીને ગૌ માતાના આશીર્વાદ લીધા હતા. આ બદલ શ્રી રામ ગૌશાળા નેકનામ દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text