આવતીકાલે મંગળવારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વીજકાપ

- text


મોરબી : આવતીકાલે તારીખ 17 જાન્યુઆરી ને ગુરુવારના રોજ PGVCL મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતો ત્રાજપર ફીડર સવારે 7 થી બપોરના 3 વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે બંધ રહેશે. જેના કારણે સામાકાંઠે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text

મોરબી પીજીવીસીએલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતો ત્રાજપર ફીડરમાં મરામત કામગીરીને કારણે સામાકાંઠે આવેલ તાલુકા પોલીસ લાઇન, ગુજરાત હાઉસિંગ બોર્ડ, વોરબાગ, નિત્યાનંદ સોસાયટીઝ પાવન પાર્ક સોસાયટી, ઋષભ નગર, મધુવન સોસાયટી, મયુર સોસાયટી, અંબિકા સોસાયટી, ત્રાજપર ગામ તથા વિસ્તારમાં સવારે 7 થી બપોરના 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

- text