ટંકારામાં અનુસૂચિત જાતિ સમુદાય વિસ્તારના વિકાસ કામો વેગવંતા બનશે 

- text


નવનિર્મિત ગ્રામપંચાયત ભવનના મિટિંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી 

ટંકારા : નવનિર્મિત ટંકારા ગ્રામ પંચાયત ભવનના મિટીંગ હોલમાં સામાજીક ન્યાય સમિતિની બેઠક યોજાઈ હતી. ડૉ.બાબા સાહેબ આંબેડકરના તૈલી ચિત્રને પુષ્પાઅર્પણ કરી કેન્ડલ પ્રગટાવી સભાની શરૂઆત કરવામાં આવી હતી અને સભામાં અનુસૂચિત જાતિ સમુદાય વિસ્તારના વિકાસ કામો વેગવંતા બનાવવા નક્કી કરાયું હતું.

ટંકારા ગ્રામપંચાયતના ઉપસરપંચ અને ઇન્ચાર્જ સરપંચ તેમજ સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આ બેઠકમાં તલાટી કમ મંત્રી દ્વારા સરકારની નીતિ નિયમ મુજબ ઉપાધ્યક્ષની ચુંટણી કરવામાં આવી હતી. જેમાં કોઓપ્ટ સભ્ય હેમંતભાઈ ચાવડાની ઉપાઘ્યક્ષ તરીકે વરણી કરી હતી.

આ બેઠકમાં ટંકારાના અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ અને ગરીબ, પીડીત, શોષિત અને વંચિત સમુદાયના લોકોના વિસ્તારના ઉત્થાન અને પાયાના વિકાસના કામો જેવા કે રોડ, રસ્તા, લાઈટ, ભુગર્ભ અને પાણીના કામો પર ભાર મુકવામાં આવ્યો હતો. ટંકારા ગ્રામ પંચાયતની રચના બાદ પ્રથમ વખત સામાજીક ન્યાય સમિતિ ની બેઠક મળી હતી. અનુસૂચિત જાતિ, જનજાતિ વિસ્તારમાં દારૂના દૂષણ ને ડામવા અને પોલિસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, પછાત વર્ગની નદી કાંઠા નાં રહેણાંક વિસ્તારમાં આવેલ વસાહતોમાં પુર રક્ષણ દિવાલ બનાવવી, ટંકારા ગામે અનુ.જાતિ અને અનુ. જનજાતિ ની વસ્તી વધુ હોય જેથી સરકાર દ્વારા વિકાસના કાર્યો માટે વધુ ગ્રાન્ટ ફાળવવી વગેરે જેવા મુદ્દાઓની સભ્યો દ્વારા વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.

- text

આ બેઠક્માં સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, મીનાબેન દિવ્યેશભાઈ મહેતા સભ્ય, સોનલબેન રાજેશભાઈ બારૈયા સભ્ય, લાલજીભાઈ વાલજીભાઈ ગેડીયા સભ્ય, હેમંતભાઇ મેઘજીભાઈ ચાવડા ઉપાઘ્યક્ષ હાજર રહ્યા હતાં.

- text