મંદિરેથી માનસિક અસ્થિર વ્યક્તિ ગુમ, દેખાય તો જાણ કરવા અપીલ

- text


ટંકારા : રાજકોટ જિલ્લાના જામકંડોરણાના રમેશભાઈ કરશનભાઈ અઘેડા (આશરે ઉંમર વર્ષ 56) તારીખ 9 જાન્યુઆરીના રોજ બપોરે 3 થી 4 વાગ્યાની આસપાસ ટંકારાના જડેશ્વર મહાદેવ મંદિરે ફરવા ગયા હતા. તેઓની સાથે તેમના માતા-પિતા પણ હતા. તે દરમિયાન રમેશભાઈ ત્યાંથી કોઈને કહ્યા વગર જતા રહ્યા હતા. રમેશભાઈ માનસિક રીતે અસ્થિર હોય તેઓ મંદિરની બહાર નીકળી ગયા હતા અને રસ્તો ભૂલી ગયા હતા. તેથી આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તેઓનો કોઈ પતો લાગ્યો ન હતો. જો નીચેના ફોટા વાળા રમેશભાઈ અઘેડાની કોઈને ભાળ મળે તો મો. નં. 9727193681 અથવા 9106866776 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

- text

- text