મોરબીમાં વિદેશમાં રોજગાર તેમજ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


તજજ્ઞો દ્વારા ૨૮૦ થી વધુ વિદ્યાર્થીઓને વિદેશ માર્ગદર્શન અપાયું

મોરબી : નિયામક, રોજગાર અને તાલીમ ગાંધીનગરના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરી-મોરબી તથા વિદેશ રોજગાર સેલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે નવયુગ કોલેજ-વીરપર અને એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ-મોરબી ખાતે વિદેશ રોજગાર તથા વ્યવાસાયિક અને કારકિર્દી માર્ગદર્શન અંગેના સેમિનારનું અયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં રોજગાર કચેરીની સેવા, વિદેશ રોજગાર સેલની કામગીરી, વિદેશ રોજગાર, વિઝા, પાસપોર્ટ, એજ્યુકેશન લોન, અનુંબધમ પોર્ટલ વિશે માહિતી, ધોરણ ૧૦,૧૨ પછી મળતા વિવિધ સ્કોપ, ડીપ્લોમાં તેમજ ડિગ્રી, આઈ.ટી.આઈ. સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉજ્વળ કારકિર્દી બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

ઉપરાંત સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં રહેલી નોકરીના તકો વિશે માહિતી આપવામાં આવી હતી. જેનો અંદાજીત ૨૮૦ થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ સેમિનારમાં વિદેશ રોજગાર સેલ(રાજકોટ)ના અલતાફ દેરયા અને જિલ્લા રોજગાર કચેરી- મોરબીના ચતુરભાઈ વરાણીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હોવાનું મોરબી જિલ્લા રોજગાર અધિકારી મનિષા સાવલીયાની યાદીમાં જણાવાયું છે.

- text

- text