મોરબીમાં સતવારા સમાજના કર્મચારી મંડળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

- text


નિવૃત્ત અને પ્રમોશન મેળવેલા કર્મચારીઓનું સન્માન કરાયું

મોરબી: મોરબી જિલ્લા સતવારા સમાજના કર્મચારી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં સ્નેહમિલન, નિવૃત્ત થતા અને પ્રમોશન મળેલ કર્મચારીઓનો સન્માન સમારંભ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં સર્વધર્મ પ્રાર્થના અને સર્વે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વે મહેમાનોનું મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પૂર્વ મંત્રી રાહુલભાઈ પરમારે શબ્દોથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંડળના કારોબારીના સભ્યોએ પુષ્પગુચ્છથી મહેમાનનું સ્વાગત કર્યુ હતું.

આ પસંગે કર્મચારી મંડળનો અહેવાલ આપતા યોગેશભાઈ કંઝારિયાએ જણાવેલ કે, આ મંડળની સ્થાપના 2005થી કરવામાં આવેલ અને આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે પુસ્તકો આપવામાં આવે છે. એટલું જ નહીં દર વર્ષે નિવૃત્ત થતા અને પ્રમોશન મળેલ કર્મચારીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. વર્ષ 2022માં નિવૃત્ત થતા મહેશભાઈ નકુમ, ધનજીભાઈ ચાવડા અને નટવરલાલ સોનગરા વગેરેનું સન્માન, પત્રનું વાંચન છગનભાઈ ખાણધર, દેવેશભાઈ કંઝારિયા અને ગણેશભાઈ કંઝારિયા વગેરેએ કર્યુ હતું અને બઢતી મળેલ ધનજીભાઈ ડાભી, ફ્રી સેવા આપનાર રસોઈયા નવીનભાઈ નકુમનું સાલ ઓઢાડીને સન્માન સમાજના જુદા જુદા મંડળના પ્રમુખોના હસ્તે કરવામાં આવ્યું હતું.

નિવૃત થતા કર્મચારી મહેશભાઈ નકુમે નોકરી દરમિયાન આપેલ જુદી જુદી સેવાઓ અને મંડળમાં આપેલ સેવાઓ વિશે પોતાનો પ્રતિભાવ રજુ કર્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાએ સર્વે કર્મચારીઓને કુટુંબ માટે, સમાજ માટે અને જ્યાં નોકરી કરતા હોય ત્યાં નિષ્ઠાથી કામ કરીએ, તો નોંધ લેવાય જ. સમાજમાં નોકરી કરતા ભાઈઓ વિશે સમાજની દ્રષ્ટિ હંમેશા માનભરી હોય છે. એટલે આપણે સમાજમાં ઉપયોગી થવા માટે પ્રયત્ન કરવા જોઈએ. સમાજમાં અનેક મંડળો જુદી જુદી પ્રવૃત્તિ કરે છે તેઓનો એક જ હેતુ હોય છે, સમાજનો ઉત્કર્ષ. એમાં આપણે પણ સહભાગી બનીએ એવી અપેક્ષા સાથે સમાજમાં વિવિધ મંડળોની પ્રવૃતિની વાત કરી હતી.

આ પ્રસંગે જ્ઞાતિના જુદા જુદા મંડળના પ્રમુખો જેમાં સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ લખમણભાઇ કંઝારિયા, મોરબી સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાઘવજીભાઈ કંઝારિયા, મોરબી સતવારા મંડળના પ્રમુખ- હિરેનભાઈ પરમાર, સતવારા મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ કિરણબેન જાદવ, સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલ વગેરે આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતાં.

- text

- text