મોરબીના પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમારની જન્મ જ્યંતીએ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

- text


મોરબીઃ મોરબીના પૂર્વ ધારાસભ્ય સ્વ.ગોકળદાસ પરમારની 102મી જન્મ જ્યંતી નિમિત્તે મોરબી તાલુકાની વાડી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં તેમજ દોશી એન્ડ ડાભી હાઈસ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરી સ્વ.ગોકળદાસ પરમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

મોરબીના ગાંધીજી તરીકે ઓળખાતા સ્વ.ગોકળદાસ પરમાર મુંબઈ રાજ્યની વિધાનસભાની 1957ની ચૂંટણીમાં 35 વર્ષની ઉંમરે મોરબી-માળીયા વિધાનસભા ક્ષેત્રમાં જન પ્રતિનિધિ તરીકે પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ તેઓ 1962-1967માં ગુજરાત વિધાનસભાની મોરબી માળીયા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોરબી-માળીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ઈ. સ.1942 ના ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા હતા. ઈસ.1947માં તેઓએ ખેડૂત સત્યાગ્રહ કર્યો હતો જેના કારણે જેલમાં જવું પડ્યું હતું. તેઓએ જીવનકાળ દરમિયાન કરેલા લોકસેવાના કર્યો બદલ અનેક એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આવા લોકસેવક, જનસેવક અને જન પ્રતિનિધિ સ્વ.ગોકળદાસ પરમારના સેવાકાર્યોને આગળ ધપાવવાના હેતુસર મોરબીની વાડી વિસ્તારની વિવિધ શાળાના ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓને 2-2 ફુલસ્કેપ ચોપડા અર્પણ કરી જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text