ટંકારામાં રામાનંદાચાર્ય જન્મજયંતી નિમિતે ધર્મસભા અને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

- text


 

ટંકારા : ટંકારામાં આગામી તારીખ 14 જાન્યુઆરીએ રામાનંદાચાર્ય જન્મજયંતી નિમિત્તે ધર્મસભા, પ્રવચન તેમજ ધોરણ-10/12, ગ્રેજ્યુએટ કે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે.

ટંકારામાં રામાનંદી સાધુ દ્વારા રામાનંદાચાર્ય જન્મજયંતી નિમિતે ધોરણ-10/12, ગ્રેજ્યુએટ કે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે જેમાં વિદ્યાર્થીઓએ માર્કશીટ તારીખ 8 જાન્યુઆરી સુધીમાં શ્રી રામ વલકેનાઇઝિંગ વર્ક (9879025506)- લતિપર ચોકડી ટંકારા ખાતે જમા કરાવી દેવા અનુરોધ કરાયો છે.
ઉજવણી અંતર્ગત રામદેવપીર મંદિર , મોરબી રાજકોટ હાઇવે, ટંકારા ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ 14 ને શનિવારે સવારે 9: 30 કલાકે ગુરુપૂજન, સવારે 11:00 કલાકથી ધર્મસભા, પ્રવચન અંર વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાશે ત્યારબાદ બપોરે 12:30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

વધુમાં, ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજના પ્રમુખ રમણીકલાલ એચ. રામાનુજ દ્વારા સમસ્ત રામાનંદી સમાજને સહપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ વધુ માહીતી માટે 9624225000 આ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text