- text
મોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે આવતીકાલ તારીખ 5 જાન્યુઆરીથી ઉતરાયણ સુધી દરરોજ સર્વજ્ઞાતિ માટે રાહતદરે ચીકીનું વિતરણ કરવામાં આવશે.
જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલ તારીખ 5 જાન્યુઆરીએ સવારથી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા ચીકી 250 ગ્રામ રૂ.130 ના ભાવે ઉપરાંત તલ-સિંગ-દાળીયા સહીતની વિવિધ જાતની ચીકી 500 ગ્રામના રૂ.60 તથા રૂ.70ના ભાવે તેમજ મમરાના લાડુંનુ રાહતદરે વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે.
- text
- text