મોરબીના હીરાસરી માર્ગ ઉપર ખુલ્લી ગટર કોઈનો ભોગ લેશે

- text


ખુલ્લી ગટરમા ઢાંકણ નાખવા કે.ડી.બાવરવાની રજુઆત

મોરબી : મોરબીના હીરાસરી માર્ગ પર આવેલા મેલડી માતાજીના મંદિર પાસે ગટર પર ઢાંકણું ન હોવાથી અકસ્માતનો ભય ઉભો થયો છે ત્યારે આ મામલે હ્યુમન રાઈટ એસોસિએશનના કાન્તિલાલ બાવરવાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

કાન્તિલાલ બાવરવાએ કલેક્ટરને રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબીના રવાપર રોડ પરથી અવની ચોક્ડીને જોડતો હીરાસરીનો માર્ગ આવેલો છે. જેમાં એક મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં આવેલી ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી ગાયબ છે. આ રોડ પરથી આ વોર્ડના કોર્પોરેટર પણ અવાર નવાર પસાર થાય હોય છે. આમ છતા આ ગટરનું ઢકાણું લગાવવામાં આવી રહ્યું નથી. તો શું નગરપાલિકા કોઈ અસ્ક્માત થાય તેની રાહ જોઈ રહી છે? તો અમારી માગણી છે કે આ ઢાંકણું તાત્કાલિક લગાવવામાં આવે, નહીં તો આ ગટર પર કોઈ અકસ્માતનો ભોગ બનશે અને જાનહાની પણ થઈ શકે છે. તો તાત્કાલિક આ ગટરનું ઢાંકણું લગાવવામાં આવે.

- text

 

- text