વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવતીકાલે મંગળવારે શૌર્ય સંચાલનનું આયોજન

- text


મોરબીઃ વિશ્વ હિંદુ પરિષદના મોરબી જિલ્લા, મોરબી શહેર, મોરબી ગ્રામ્યના બજરંગદળના નેજા હેઠળ આવતીકાલે તારીખ 3 જાન્યુઆરી ને મંગળવારના રોજ શૌર્ય સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શૌર્ય સંચાલન કાર્યક્રમ આવતીકાલે મંગળવારે સાંજે 5-30 કલાકે નરસંગ મહાદેવ મંદિર થી રવાપર રોડ થી ચકીયા હનુમાનજી મંદિર પાસે થઈ શાક માર્કેટ થઈ નગરદરવાજા ચોકમાં પુર્ણ થશે. આ કાર્યક્રમ બજરંગદળના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે ત્યારે મોરબીમાં રહેતા તમામ સનાતની ભાઈઓને જોડાવવા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આહ્વાન કરાયું છે. સાથે જ જે ભાઈઓએ ત્રિશુલ દીક્ષા લીધી છે તે લોકોએ આ કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા જણાવાયું છે.

- text

બજરંગદળના ત્રિશુલ દીક્ષા લીધેલા કાર્યકર્તાઓએ બજરંગદળનો બેલટ અને ત્રિશુલ ફરજિયાત પહેરીને આવવા જણાવાયું છે. જ્યારે જે કાર્યકર્તા પાસે બજરંગદળનુ ટી-શર્ટ છે એમને એ ટી-શર્ટ સાથે વાદળી અથવા કાળું પેન્ટ પહેરવા જણાવાયું છે. અને જે કાર્યકરો પાસે બજરંગળનું ટી-શર્ટ નથી તેઓએ સફેદ ટી-શર્ટ અથવા શર્ટ પહેરીને આવવા જણાવવામાં આવ્યું છે.

- text