મોરબી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નોને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્ય કારોબારીમાં રજૂ કર્યા

- text


જુની પેન્શન યોજના સહિતના 30 પ્રશ્નોની રજૂઆત કરાઈ

મોરબીઃ મોરબી જિલ્લાના શિક્ષકોને અનેક પડતર પ્રશ્નો છે. ત્યારે આ પડતર પ્રશ્નોને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્ય કારોબારીમાં રજૂ કર્યા હતા. ગાંધીનગર ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે મંત્રી ઋષિકેશ પટેલ શિક્ષણ મંત્રી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, ડો.કુબેરભાઈ ડીંડોર શિક્ષણ મંત્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, પ્રફુલ્લભાઈ પાનસેરિયા રાજ્ય કક્ષા શિક્ષણમંત્રીની ઉપસ્થિતમાં રાજ્ય મહાસંઘના તમામ હોદ્દેદારો ભીખાભાઈ પટેલ, અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ, મંત્રી અને સરદારસિંહ મછાર, સંગઠન મંત્રી વગેરેની હાજરીમાં રાજ્ય કારોબારી બેઠકમાં મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નોને રજૂ કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે રાજ્ય કારોબારીમાં રજૂ કરેલા પ્રશ્નોમાં, વર્ષ 2017ની ભરતી વાળા જિલ્લાફેર અરજી સ્વીકારવી. બધા શિક્ષકોને માઁ કાર્ડ અંતર્ગત કેશલેશ સારવાર મળી રહે. વર્ષ 2005 પછીના શિક્ષકોને જુની પેન્શન યોજનાનો લાભ મળે અને વર્ષ 2005 પહેલાંના કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવાનો પત્ર સત્વરે કરવાની રજૂઆત કરાઈ હતી.

આ ઉપરાંત હવે જયારે બદલી કેમ્પ ચાલુ થાય ત્યારે આગળના માસના માસિકપત્રકની સંખ્યા મુજબ થાય. વિદ્યાર્થી રેશિયો ધોરણ 1 થી 5માં ઘટાડવો, 120 થી 200 વધુ સંખ્યા છે. 2005પહેલા માટે સરકારે કરેલી જાહેરાત મુજબ ops લાગુ કરે એનો ઠરાવ સત્વરે બહાર પાડવો. જિલ્લા આંતરિક બદલી કેમ્પ જલ્દી કરાવો. HRA નો નવ ટકા લેખે જીઆર કરવા બાબત, આચાર્ય એલાઉન્સ વધારવા બાબત, HTAT મુખ્ય શિક્ષકો, મેથ્સ સાયન્સ શિક્ષકને સી.આર.સી. બી.આર.સી.જેવી વહીવટી પોસ્ટ પર જવા દેવા તેમજ ખાતાકીય પરીક્ષા આપવા દેવી, એચ ટાટ O. P. પરત કરવા બાબતે યોગ્ય કરવાની રજૂઆત કરાઈ હતી.

- text

ધોરણ 6 થી 8ના શિક્ષકોને અલગ પગાર ધોરણ આપવામાં આવે, બધા વિષયની એકમ કસોટી એક સમાન રાખવી, બોન્ડ વાળા શિક્ષકોને બદલીના તમામ લાભ આપવા, દંપતી કે અગ્રતા વાળા શિક્ષકોની પ્રતીક્ષા યાદી દરેક જિલ્લામાં જગ્યાના પ્રમાણમાં ઓછી હોય આવા ઉમેદવારોને આ જ વર્ષે જિલ્લાફેર અરજી સ્વીકારવી, વિકલાંગ ભથ્થા એક સમાન મળે, બદલી બાબતે વિકલાંગોને અગ્રતા અંગે સ્પષ્ટતા, શાળા સ્વચ્છતા ગ્રાન્ટમાં વધારો કરવો, cpf 10 % સામે 14 % કરવું, ધો.6 થી 8 વિકલ્પ રદ્દ કરવાનો મોકો આપવા બાબત, બદલીના ગંભીર બીમારીના કારણમાં નવા બદલીના નિયમમાં કુટુંબની વ્યાખ્યામાં માતા-પિતાનો સમાવેશ નથી, શાળાઓમાં કોમ્પ્યુટર ઉપલબ્ધ કરાવવા, એકમ કસોટીનું ભારણ ઓછું કરવું, શિક્ષકોના પગાર ઓનલાઈન કરવા, બી.એલ.ઓ. સહિતની શિક્ષણ સિવાયની કામગીરી બંધ કરવી, તા. 27/04/2011 પહેલાના નિમણૂંક પામેલા શિક્ષકોને નિવૃત્તિ સામે ફુલ પગારમાં સમાવવા, પ્રાથમિક શાળાના બાળકોની સ્પર્ધાત્મક પરીક્ષાની ફી ન રાખવી અને શાળાઓમાં શાળા સ્વચ્છતામાં બાળકોની સહભાગિતા સુનિશ્ચિત કરવી, શાળા સ્વચ્છતાના નાના કામો બાળકો પાસે કરાવવાની છૂટ આપવી વગેરે ત્રીસ જેટલા પ્રશ્નોની મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ રજૂ કરી ઝડપથી ઉકેલ આવે તે માટે ભારપૂર્વક રજુઆત કરી હતી.

- text