લાયોનેસ ક્લબ મોરબી દ્વારા 27મીએ વેશભૂષા અને વક્તવ્ય સ્પર્ધા યોજાશે

- text


મોરબી : ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આગામી તારીખ 27 ડિસેમ્બરના રોજ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વેશભૂષા અને વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ભાગ લેનારે માત્ર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગમે તે વેશભૂષા અને 3 મિનિટનું વક્તવ્ય આપવાનું રહેશે. જેમ કે કોઈપણ રાજ્યની વેશભૂષા અને વક્તવ્ય, કોઈપણ દેવી-દેવતાની વેશભૂષા અને વક્તવ્ય.. આ સ્પર્ધામાં 5 થી 10 વર્ષના ગ્રુપ-એ, 11 થી વધુ ઉંમરના ગ્રુપ-બીમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધા 27 ડિસેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલા જલારામ મંદિરે યોજાશે. જેમાં ભાગ લેવા માટે 25 ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવું ફરજિયાત છે. વધુ માહિતી મેળવવા અને રજિસ્ટ્રેશન કરાવવા શોભનાબા ઝાલા (મો.નં. 9979329837), પ્રીતિબેન દેસાઈ (મો.નં. 9328970499), નયનાબેન બારા (મો.નં. 8530531830), મયુરીબેન કોટેચા (મો.નં. 9275951954), પ્રફુલલાબેન સોની (મો.નં. 9925726671), પૂનમબેન હિરાણી (મો.નં. 9979574149)નો સંપર્ક કરવો.

- text

- text