પ્રમુખ સ્વામી મહારાજનગરમાં સંસ્કૃતિ દિનની ભવ્ય ઉજવણી

- text


 

રાષ્ટ્ર ગૌરવ, સંસ્કૃતિ અને વૈશ્વિક મૂલ્યોના પોષક અને સંરક્ષક એવા પ્રમુખસ્વામી મહારાજના અમૂલ્ય પ્રદાનને બિરદાવતા મહાનુભાવો

અજોડ સંસ્કૃતિપુરુષ અને સનાતન હિન્દુ ધર્મના અર્વાચીન યુગના જ્યોતિર્ધર એવા પ્રમુખસ્વામી મહારાજને ‘સંસ્કૃતિ દિન’ નિમિત્તે અપાઈ ભવ્ય અંજલિ

મોરબી : પ્રમુખસ્વામી મહારાજનગરમાં સંધ્યા સભામાં આજે મહોત્સવના દ્વિતીય દિવસે વિશાળ જનમેદનીથી છલકાઇ હતી. નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ આજના વિશિષ્ટ સંસ્કૃતિ દિન કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા.

૧૦,૦૦૦ વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિના જ્ઞાન, મૂલ્ય, અધ્યાત્મ વારસાની ભાગીરથીને સમગ્ર વિશ્વમાં પ્રવાહિત કરનાર પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિની ચેતનાને જનમાનસમાં જગાડવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું. સંસ્કૃતિના આધારસ્તંભો એવાં – શાસ્ત્ર, મંદિર અને સંત – ત્રણેયને પોષણ આપી ભારતીય સંસ્કૃતિને નવપલ્લવિત કરી. યુગપુરુષ પ્રમુખસ્વામી મહારાજના સંસ્કૃતિરક્ષાના વિવિધ પાસાંઓને આજની વિશિષ્ટ સભામાં આવરી લેવામાં આવ્યાં હતાં.

પારાયણ પુજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધન, કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભગવદ્ગુણોના ધારક એવા પ્રમુખ સ્વામી મહારાજના વિરલ ગુણોનું દર્શન BAPS સંસ્થાના વિદ્વાન સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રને આલેખનાર પૂ. આદર્શજીવન સ્વામીએ કરાવ્યું હતું.

મહાનુભાવોના સ્વાગત બાદ સનાતન હિન્દુ ધર્મનાં ત્રણ આધારભૂત શાસ્ત્રો – શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર – એટલે કે પ્રસ્થાનત્રયી પર ભાગ્યની રચના કરનાર BAPS સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના સંસ્કૃતિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન અને વિશ્વવ્યાપી સર્જનો – મંદિરોની અદ્ભુત સૃષ્ટિ વિષે પ્રકાશ પાડ્યો હતો.

આજના કાર્યક્રમમાં જમ્મુ અને કશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, એલિકોન કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રયાસવીન પટેલ, ફોરન એન્ડ કોમનવેલ્થ ઓફિસના સિક્યુરિટી ડિરેક્ટર ભરતભાઈ જોશી, લીંબડીના ઠાકોર સાહેબ જયદીપસિંહજી છત્રસાલજી સિંહજી, માધવાણી ગ્રૂપના ડિરેક્ટર શ્રાઈ માધવાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટકુમાર પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન હિતેશભાઈ બારોટ, ગિરીશ દત્તાત્રેય, અને UKથી ચાર્લ્સ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આજે સવારના સત્રમાં GCCI કોન્ફરન્સનું આયોજન થયું હતું. તેમાં દીપક પારેખ- HDFC લિમિટેડ -ચેરમેન, ચંદુભાઈ વિરાણી- ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર- બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ, ગોવિંદભાઈ ધોળકિયા-ફાઉન્ડર અને ચેરમેન- રામકૃષ્ણ એક્ષ્પોર્ટસ પ્રાઇવેટ લિમિટેડ, CA નીલેશ શાહ – મેનેજિંગ ડિરેક્ટર, કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ, ડો. શર્વિલ પટેલ- મેનેજિંગ ડિરેક્ટર- ઝાયડસ લાઈફ સાયન્સીસ લિમિટેડ, અર્જુન હાંડા -ચેરમેન, ક્લેરિસ લાઇફ સાયન્સીસ પથિક પટવારી- GCCI ચેર, અજય પટેલ, યોગેશ પરીખ -સેક્રેટરી જૈનિલ શાહ, કો- ઓર્ડીનેટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

HDFC બેન્કના ચેરમેન અને આજની કોન્ફરન્સમાં કી-નોટ સ્પીકર તરીકે ઉપસ્થિત દીપક પારેખે જણાવ્યું હતું.“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, BAPS સંસ્થા જે ઉદાત્ત મૂલ્યોની પ્રતિષ્ઠા માટે કાર્યરત છે તેને ફરી દૃઢ કરાવે છે. સમગ્ર માનવ જાત પર આધ્યાત્મિક પ્રકાશ પાથરવામાં અને વિશ્વમાં માંગલ્ય પ્રસરાવવા બદલ પ્રમુખસ્વામી મહરાજના આપણે ઋણી છીએ.

- text

આપણે સાચા અર્થમાં ભાગ્યશાળી છીએ કે આપણા પ્રધાનમંત્રીને પણ તેમના જીવનમાં પ્રમુખસ્વામી મહારાજનું માર્ગદર્શન સાંપડ્યું. સમગ્ર વિશ્વ પ્રમુખસ્વામી મહારાજને શાંતિના દૂત તરીકે યાદ કરી રહ્યું છે. ભવિષ્ય નિર્માણ આપમેળે થતું નથી પરંતુ તેના માટે પુરુષાર્થ કરવો પડે છે, BAPS સંસ્થા ભવિષ્યનું ઘડતર કરી રહી છે. BAPS સંસ્થાનું કાર્ય ભારતની આધ્યાત્મિક ચેતનાને પ્રજવલિત કરી રહી છે.”

GCCIના પ્રમુખ પ્રતીક પટવારીએ જણાવ્યું હતું,“દર ૧૫ દિવસે પ્રમુખસ્વામી મહારાજે એક ઇન્સ્ટિટ્યૂટનું સર્જન કર્યું ! કલ્પના કરો કે ભૂમિ સંપાદનથી લઈને લોકાર્પણ સુધીની સરેરાશ સમયમર્યાદા માત્ર ૧૫ દિવસ! પ્રમુખસ્વામી મહારાજના જીવનના આંખે ઉડીને વળગે તેવા સદ્ગુણો હતા: પ્રેમ, માનવતા, સંવાદિતા, શાંતિ, સેવા અને ભગવાનમાં શ્રદ્ધા. BAPS સંસ્થા અને આ મહોત્સવ માટે સમગ્ર વિશ્વમાં અનહદ આદર અને આકર્ષણ છે. ભૂકંપ હોય કે મહામારી, BAPS સંસ્થા સમાજની પડખે ઊભી રહી. દવાઓ હોય કે ભોજન, ઑક્સીજન સિલિન્ડર હોય કે મેડિકલ ટ્રાન્સપોર્ટેશન, BAPS સંસ્થાએ સેવામાં મોખરે રહી સમાજને રાહત પહોંચાડી યુક્રેન – રશિયા યુદ્ધ વખતે પ્રધાનમંત્રીએ બ્રહ્મવિહારી સ્વામીને કોલ કર્યો અને માત્ર ૪૮ કલાકમાં સ્વયંરોવકો સેવામાં હાજર થઈ ગયા. સરકારને પણ BAPS સંસ્થા પર કેટલો વિશ્વાસ છે તે આ પ્રસંગ દર્શાવે છે. આપણાં વિદ્યાર્થીઓના ભોજન માટે સ્વયંસેવકોએ પહોંચીને ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરી દીધો. આવી આયોજન ક્ષમતા ભાગ્યે જ જોવા મળે છે.”

કાલે ૧૭ ડિસેમ્બર, શનિવારે હજારો ભકતો-ભાવિકો અને મહાનુભાવોની ઉપરિસ્થતિમાં ‘Parabhakti Day: Celebrating Devotion to God’ એટલે કે ‘પરાભક્તિ દિન’ ની ભવ્ય ઉજવણી થશે, જેમાં પ્રમુખસ્વામી મહારાજના ભગવાન પ્રત્યેના અનન્ય ભક્તિભાવ, નિતાંત દારાભાવનાં દર્શન કરાવતાં હૃદયસ્પર્શી જીવનપરાંગો નું વિશિષ્ટ પ્રવચનો અને પ્રસ્તુતિઓ દ્વારા નિદર્શન થશે.

- text