મોરબીના તળાવિયા શનાળા નજીક ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી

- text


બાળકીને જન્મ આપીને તરછોડી દેનાર અજાણી નિષ્ઠુર જનેતા સામે પોલીસે ગુનો નોંધવાની તજવીજ કરી કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીના તળાવિયા શનાળા નજીક સીમ વિસ્તારમાં કોઈ અજાણી મહિલાએ બાળકીને જન્મ દઈને તરછોડી દીધેલી હાલતમાં આ નવજાત બાળકી મળી આવી હતી. આથી પોલીસે હાલ બાળકીને જન્મ આપીને તરછોડી દેનાર અજાણી નિષ્ઠુર જનેતા સામે ગુનો નોંધવાની તજવીજ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે મોરબીના તળાવિયા શનાળા નજીક સીમ વિસ્તારમાં બાવળની ઝાડી પાસે તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવી હતી. અહીંયા વાડી વિસ્તારમાં કામ કરતા એક શ્રમિકને આ તરછોડી દેવાયેલી બાળકી તરફ ધ્યાન જતા તેણે આ બાબતને સરપંચને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સમક્ષ આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. જેમાં કોઈ અજાણી મહિલાએ બાળકીને જન્મ આપીને તરછોડી દીધી હોવાનું બહાર આવ્યું હતું. મમતાને લજવતા આ કિસ્સામાં 108 એમ્બ્યુલન્સમાં આ બાળકીને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસે આ બાબતે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી કઈ નિષ્ઠુર જનેતાએ પોતાની બાળકીને આવી રીતે તરછોડી દીધી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

- text

- text