રવિવારે મોરબીમાં આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા માટેનો ફ્રી કેમ્પ યોજાશે

- text


મોરબી : આયુષ્યમાન ભારત (PM-JAY) કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા ફ્રીમાં આરોગ્ય સુવિધા આપવામાં આવી રહી છે ત્યારે આ કાર્ડ નાગરિકોને સરળતાથી મળી રહે તે હેતુથી આગામી રવિવારે મોરબીમાં આવેલા પ્રાગટ્ય ક્લિનિક ખાતે ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો છે.

આગામી તારીખ 18 ડિસેમ્બર ને રવિવારના રોજ બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મોરબીના રોહિદાસ પરા મેઈન રોડ પર આવેલી આંબેડકર કોલોની સ્થિત પ્રાગટ્ય ક્લિનિક (ડો. પરેશ એમ. પારીઆ) ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો છે. જ્યાં અરજદારોને ફ્રીમાં કાર્ડ કાઢી આપવામાં આવશે. કાર્ડ કઢાવવા જતી વખતે આવકનો દાખલો, રેશન કાર્ડ અને આધાર કાર્ડ લઈ જવું જરૂરી છે.

- text

- text