- text
હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામે જયપાલસિંહ સુરુભા રાઠોડની વાડી રહી ખેત મજૂરી કરતા મૂળ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રજયતા ગામના અસ્મિતાબેન રણજીતભાઈ ગરાસિયા ઉ.25નામના પરિણીતા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ વઢવાણ બાદ ગોધરા હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text