વાંકાનેરની પંચાસિયા પ્રાથમિક શાળામાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગે પ્રદર્શન યોજાયું

- text


વાંકાનેર : આજરોજ પંચાસિયા પ્રાથમિકમાં શાળાના વિજ્ઞાન મેળાનું આયોજન વાંકીયા 1ના સી.આર.સી અબ્દુલભાઈ શેરશિયા દ્વારા કરવામાં આવ્યુ હતું.

આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા શિક્ષણ અધિકારી મંગુભાઇ પટેલ અને બી.આર.સી મુયરસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.. પંચાસિયા પ્રાથમિક શાળા પરિવાર યજમાન શાળા બની હતી અને શાળાના આચાર્ય યાકુબભાઈ તથા સમગ્ર સ્ટાફ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થા ગોઠવામાં આવી હતી. આ તબક્કે પૂર્વ..સી.આ.સી 1 ના વાંકીયા આબીદભાઈ કોવડીયાનો વિદાય સમારંભ અને અબ્દુલભાઇ શેરશિયા સી.આર.સી વાંકીયા 1નો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે પંચાસિયા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય મહેબૂબ ભાઈનો વિદાય સમારંભ અને નવા આચાર્ય યાકુબભાઈનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યજમાન શાળા હોવાથી પંચાસિયા પ્રાથમિક શાળાના શિક્ષક દેવરાજભાઈ દ્વારા 6 કૃતિ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વાંકીયા 1 સી.આર સીના તમામ શિક્ષક ભાઈ-બહેનોએ સાથે સમૂહ ભોજન માણ્યું હતું.

- text

 

- text