મોરબી સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લિનિક દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબી શહેરની એપલ હોસ્પિટલમાં આવેલી સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લિનિકને સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આજથી સાત વર્ષ પહેલા ડો. જયેશભાઈ સનારીયા દ્વારા શહેરની એપલ હોસ્પીટલમાં સ્થળાંતર કરવામા આવ્યુ હતુ. આજ રોજ સ્પર્શ ક્લીનીકને એપલ હોસ્પીટલમાં સાત વર્ષ પૂર્ણ થતા રાજકોટના અનુભવી એવા પબ્લિક સ્પીકર વિરલ ગોહેલ દ્વારા સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો

માર્ગદર્શન સેમિનારમાં દર્દીને સારવાર કઈ રીતે પ્રદાન કરવી, દર્દી તેમજ તેમના સગા સાથે કઈ રીતે વર્તન કરવું, દર્દીની સારવાર દરમિયાન શું કાળજી રાખવી? સારવાર બાદ સમયાંતરે સંપર્ક કરી આરોગ્ય વિષયક માર્ગદર્શક પૂરું પાડવું અને પર્સનલ ડેવલપમેન્ટ અંતર્ગત શરીરના હાવ-ભાવ, અવાજ, બોલવાની સ્પીડ અને દર્દીને સમજી શકાય એવી ભાષામાં કઈ રીતે વાત કરવી એ વિષય પર રાજકોટના અનુભવી એવા પબ્લિક સ્પીકર વિરલ ગોહેલ દ્વારા સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોરબીના ડાયરેક્ટર ડી. આર. ડી.એ.અને આસિસ્ટન્ટ કલેક્ટર નવલદાન ગઢવી અને મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. હેમાબેન પટેલ, સેક્રેટરી ડૉ. કૃષ્ણ ચગ સાહેબ, ડો. અલ્કેશ પટેલ તેમજ સ્પર્શ બાળકોની હોસ્પિટલના ડો. મનીષભાઈ સનારિયા પણ હજાર રહ્યા હતા અને સ્પર્શ ટીમના દરેક સભ્યોને અલગ -અલગ છેત્રના એવૉર્ડ આપીને સન્માનિત કર્યાં હતા.

આજના ભાગદોડના સમયમાં ડોક્ટરે પોતાના અને આધ્યાત્મિક વિકાસ માટે સમય કાઢીને સમાજને મહત્તમ મદદ કઈ રીતે કરી શકે? દર્દીની તકલીફ સહાનુભૂતિથી કઈ રીતે ઓછી કરી શકાય અને ડોક્ટરના વ્યવસાયને વ્યવસાય ના ગણીને સેવા ગણી સમાજને કઈ રીતે વધુ ઉપયોગી થઇ શકાય, આજના હરીફાઈના જમાનામાં ભગવાન ઉપર વિશ્વાસ રાખીને સારા માણસ કઈ રીતે બનવું તેમજ ચિંતામુક્ત જીવન કઈ રીતે જીવવું તે વિષય પર ગઢવી સાહેબે માર્ગદર્શન આપ્યું હતું. ડો. રેડી લેબોરેટરી ફાર્મા કંપનીના એરિયા સેલ્સ મેનેજર નીરવભાઈ મહેતા અને યોગેશ જોધાણીના સહયોગથી સેમિનાર સફળ રહ્યો હતો.

- text

- text