ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓની શાંતિ માટે 11મીએ શાંતિ હવન યોજાશે 

- text


મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને 42 દિવસ પૂર્ણ થતા મૃતાત્માઓની શાંતિ માટે મોરબીના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આગામી તા.11ને રવિવારના રોજ સામાકાંઠે સ્વામિનારાયણ મંદિર નજીક શાંતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, જીજ્ઞેશભાઇ પંડયા, મુકુંરાય પી. જોષી, મુછડીયા વાલજીભાઇ ધનજીભાઇ, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચ દ્વારા મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં હિન્દુ મુસ્લીમ દિવ્ય આત્માઓના મોક્ષાર્થે શાંતિ હવનનું અયોજન આગામી તારીખ 11ને રવિવારના રોડ સામાકાંઠે, ઝુલતાપુલના પાસેના વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિર બાજુમાં સવારે 9.30 થી બપોરે 1 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. આ શાંતિ હવનમાં આહુતિ આપી દિવ્ય આત્માઓને મોક્ષ મળે તે માટે જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

- text