વાંકાનેરમાં તમાકુ નિયંત્રણ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

- text


વાંકાનેરઃ મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેરના સહયોગથી કે.કે. શાહ માધ્યમિક શાળા ખાતે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું.

આજરોજ તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર દ્રારા વાંકાનેર ખાતે આવેલી કે.કે. શાહ માધ્યમિક શાળામાં વ્યસન અંગે જાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમાકુ નિષેધ વકતૃત્વ સ્પર્ધામાં 14 જેટલા બાળકોએ લાભ લીધો હતો. જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આર્થિક અસરો, વ્યસનનું સમાજમાં પ્રમાણ તથા આકડાકીય માહિતી દર્શાવતા વિવિઘ વિષયો પર વકતવ્ય આપ્યું હતું. જેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરાયા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. મેડિકલ ઓફીસર ડો. અનિલ પરમાર દ્રારા તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફ ગણ, મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચૌહાણ, જિલ્લા પંચાયત તમાકુ નિયંત્રણ કર્મચારી તેહાન શેરસીયા,TMPHS માથકીયાભાઈ તેમજ અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર સ્ટાફ અને RBSK ટીમના કર્મચારી અકશાબેન ખોરજીયા હાજર રહ્યા હતા.

- text

- text