મોરબીની અવની ચોકડી ખાતે ૩૦મીએ રામામંડળનું આયોજન

- text


મોરબી : મોરબીની અવની ચોકડી કેનાલ રોડ પર આગામી તારીખ 30 નવેમ્બર ને રાત્રે ૮ કલાકે રાસંગપરનું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. રામામંડળમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે આ રામામંડળમાં ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજક અશોકભાઈ પ્રભુભાઈ ભટાસણા, હરેશભાઈ પ્રભુભાઈ ભટાસણા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા વધુ માહિતી માટે મો.નં.૯૮૨૫૮ ૩૦૯૪૦, ૯૯૨૫૬ ૦૦૦૧૧ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.

- text

- text