ઘનશ્યામપુર નજીક બે બાઈક વચ્ચે અકસ્માત : એકનું મોત

- text


 

બે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે આજે બે બાઈક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ધાંગધ્રા તાલુકાના રામપરા ગામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બે લોકોને ઈજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે.

આજે મોડી સાંજે હળવદ તાલુકાના ઘનશ્યામપુર થી ભલગામડા જવાના રોડ પર ચોટીલા ખાતે રહેતા કેતનભાઇ ગગજીભાઈ જાદવ અને ધાંગધ્રા તાલુકાના રામપરા ગામે રહેતા મોહનભાઈ માવજીભાઈ ઝાલા ઉંમર વર્ષ 25ના બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોહનભાઈ માવજીભાઈ ઝાલાનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કેતનભાઇ ગગજીભાઈ જાદવ રહે ચોટીલા અને પીન્ટુભાઇ ભુપતભાઈ ઝાલા રહે રામપરાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા.

- text

ઇજાગ્રસ્તોને પ્રથમ હળવદ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા જ્યારે બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતક મોહનભાઈની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.આ અકસ્માત મોહનભાઈ અને પીન્ટુભાઇ રામપરા થી હળવદ તરફ આવી રહ્યા હતા ત્યારે ચોટીલા તરફ જતા કેતનભાઇના બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયો હોવાનું લોકો જણાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીયા છે કે અકસ્માતના બનાવની જાણ 108 ને થતા શૈલેષભાઈ અને દેવાભાઈ ઘટના સ્થળે ઇજાગ્રસ્તોને લેવા માટે દોડી ગયા હતા જોકે મોહનભાઈના ખીચામાંથી 24,700 ની રોકડ અને બે મોબાઈલ પણ ત્યાંથી તેઓને મળતા આ રકમ અને મોબાઈલ મોહનભાઈના પરિવારજનોને પરત કરી હતી.

- text