ટંકારામા ટ્રેકટર આડે કૂતરું ઊતરતા આધેડનું મૃત્યુ

- text


ટ્રેકટર ચાલકે અચાનક બ્રેક મારી અને પંખા ઉપર બેઠેલા આધેડ ગબડી પડ્યા

ટંકારા : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામની મહાવીયું નામની સીમમાં ટ્રેકટર લઈને જતી વખતે અચાનક કૂતરું આડુ ઉતરતા ટ્રેકટર ચાલકે બ્રેક મારતા બે કૌટુંબિક ભાઈઓને અકસ્માત નડતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે ફરિયાદી અરજણભાઈ સવજીભાઈ બોરસણીયા રહે. શનાળા વાળાએ જાહેર કર્યું હતું કે ગત તા.17ના રોજ તેમના મૃતકભાઈ રમેશભાઈ સવજીભાઈ બોરસણીયા ઉમિયાનગર ગામની સીમમાં કૌટુંબિક ભાઈ દુર્લભજીભાઈ રામજીભાઈના ટ્રેક્ટરમાં બેસીને જતા હતા ત્યારે ટ્રેકટર આડે અચાનક કૂતરું આવી જતા બ્રેક મારતા પંખા ઉપર બેઠેલા રમેશભાઈ સવજીભાઈ બોરસણીયા ગબડી પડતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

અકસ્માતના આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃતકના ભાઈ અરજણભાઈ સવજીભાઈ બોરસણીયાની ફરિયાદને આધારે ટ્રેકટર ચાલક દુર્લભજીભાઈ રામજીભાઈ વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text