મોરબીમાં વિષ્ણુયાગ યજ્ઞ યોજી ઝૂલતાપૂલ દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ અર્પણ

- text


મોરબી : ગત તારીખ 30 ઓક્ટોબરના રોજ મોરબીની ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનામા 136 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતા. તેથી આ તમામ દિવંગતોના આત્માના શાંતિ અર્થે મોરબી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના રવાપર રોડ પર બાપા સીતારામ ચોકમાં આવેલ નરસંગ મંદિરમાં મોરબી તાલુકા બ્રહ્મા સમાજના પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ, ઉપપ્રમુખ હાર્દિકભાઈ વ્યાસ તેમજ મહામંત્રી હરીશભાઈ પંડ્યા અને નિમિષભાઈ તિલાવત સહિતના ભૂદેવો દ્વારા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવેલ દિવંગગતોની આત્માના શાંતિ અર્થે વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ હોમાત્મક પદાર્થોથી આહુતિઓ આપીને દિવંગત આત્માઓના શાંતિ અર્થે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને દિવંગત આત્માઓના શાંતિ અર્થે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.

- text

- text