રફાળેશ્વરથી સરતાનપર રોડ સુધી કલાકોના ટ્રાફિકજામથી રાહદારીઓ પરેશાન

- text


મકનસર, બંધુનગર અને સરતાનપર ચોકડીએ મોટા વાહનો વળતા હોય ત્યારે સામેથી આવતા વાહનો અટવાય જતા દરરોજ સર્જાતી ટ્રાફિકજામથી સમસ્યા

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વરથી સરતાનપર રોડ સુધી કલાકોનો ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી અનેક વાહન ચાલકો ફસાઈ ગયા હતા. જો કે મોટા ટ્રકોના વણાંકની જગ્યાએ ટાફિક અટવાતા દરરોજ ટ્રાફિકજામથી સમસ્યા સર્જાઈ છે.

મોરબી નજીક હાઇવે ઉપર રફાળેશ્વરથી સરતાન પર રોડ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આજે બપોરથી અહિંયા ટ્રાફિક જામ થતા વાહન વ્યવહાર અટકી જવાથી વાહનોની કતારો લાવી હતી. એમાંય સાંજે વાહનો વધતા ટ્રાફિકજામ વધુ સર્જાઈ છે. આ ટ્રાફિકજામ થવા પાછળનું કારણ એ છે કે મકનસર, બંધુનગર અને સરતાન પર ચોકડીએ મોટા વાહનો વળતા હોય ત્યારે સામેથી આવતા વાહનો અટવાય જતા દરરોજ અહીંયા ટ્રાફિકજામ સર્જાય છે. તેથી સંબધિત તંત્ર આ અંગે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

- text

- text