- text
જલારામ ટ્રેડિંગ નામની પેઢીએ 44 કમિશન એજન્ટના 2.22 કરોડ ન ચુકવતા લેવાયો નિર્ણય
હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક પેઢીએ રૂપિયા 2 કરોડથી વધુની રકમ ચુકવવામાં વિલંબ કરતા રોષે ભરાયેલા કમિશન એજન્ટો અને વેપારીઓ દ્વારા આવતીકાલથી હરરાજી બંધ કરવા નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
- text
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવેલી જલારામ ટ્રેડિંગ નામની પેઢીએ 44 કમિશન એજન્ટના 2.22 કરોડ ન ચુકવતા વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા માર્કેટ યાર્ડને લેખિતમાં રજૂઆત કરી રૂપિયા ન આવે ત્યાં સુધી હરરાજી કાર્ય બંધ રાખવા જાહેર કર્યું છે. જો કે આ મામલે યાર્ડ સત્તાવાળાઓ પણ પેમેન્ટ કઢાવવા પ્રયત્નશીલ હોવાનું જાણવા મળે છે.
- text