કાનાભાઈના મધ્યસ્થ ચૂંટણી પ્રચાર કાર્યાલયને વિજય રૂપાણી સોમવારે સાંજે ખુલ્લું મુકશે

- text


સરદાર બાગ સામે ઓમ શાંતિ સ્કૂલ સામે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મધ્યસ્થ ચૂંટણી પ્રચાર કાર્યાલયને ખુલ્લું મુકાશે

મોરબી : મોરબી બેઠક પર ભાજપના ઉમેદવાર કાન્તિલાલ અમૃતિયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ગામે ગામ સભા ગજાવી પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા આ પ્રચાર કાર્ય વેગવતું બનાવવા માટે પ્રચાર કાર્યાલય શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં કાલે સોમવારે સરદાર બાગ સામે ઓમ શાંતિ સ્કૂલ સામે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મધ્યસ્થ ચૂંટણી પ્રચાર કાર્યાલયને ખુલ્લું મુકાશે.

- text

મોરબી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કાન્તિલાલ અમૃતિયાને વિજયી બનાવવા માટે કાર્યાલયો શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં આવતીકાલે તા.14ના રોજ સોમવારે સાંજે તા વાગ્યે મોરબીના સરદાર બાગ સામે ઓમ શાંતિ સ્કૂલ નજીક ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાના ચૂંટણી પ્રચાર માટે મધ્યસ્થ ચૂંટણી પ્રચાર કાર્યાલયનો શુભારંભ થશે . જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજરી રહી મધ્યસ્થ ચૂંટણી પ્રચાર કાર્યાલયને ખુલ્લું મુકશે. આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઇ કૂડારિયા, રાજયમંત્રી બ્રિજેશ મેરજા, ટંકારા બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી, હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા, ભાજપ અગ્રણીઓ જ્યૂભા જાડેજા, મગનભાઈ વડાવિયા, જેસંગભાઈ હુંબલ સહિતના ઉપસ્થિત રહેશે.

- text