ઝૂલતા પુલ દુર્ઘટના : વડાપ્રધાને સીએમ અને મંત્રી મેરજા પાસેથી માહિતી મેળવી, બચાવ કાર્યમાં કોઈ કસર ન છોડવા આદેશ

- text


મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી બ્રિજેશ મેરજા પાસેથી તમામ વિગતો મેળવી છે. વધુમાં વડાપ્રધાન દ્વારા બચાવ કાર્યમાં કોઈ કસર ન છોડવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

મોરબીમાં આજે સાંજના સમયે ઝૂલતો પુલ તૂટી પડતા અનેક લોકો નદીમાં ડૂબ્યા છે. આ અંગે જાણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી બ્રિજેશ મેરજા સાથે ટેલિફોનિક વાતચિત કરી હતી. બન્ને પાસેથી વડાપ્રધાને દુર્ઘટના અંગેની વિગતો મેળવી હતી અને જણાવ્યું હતું કે બચાવ કામગીરી માટે તાત્કાલિક વધુમાં વધુ ટીમો લગાડવામાં આવે અને તેમણે પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું હતું.

- text

- text