ઝૂલતા પુલ દુર્ઘટના : મુખ્યમંત્રી સતત મોરબી જિલ્લા તંત્ર સાથે સંપર્કમાં

- text


મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વ્યથિત બન્યા છે. તેઓ સતત જિલ્લા તંત્ર સાથે સંપર્કમાં રહીને વિગતો મેળવી રહ્યા છે.

મોરબીમાં આજે સાંજના અરસામાં ઝૂલતો પુલ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે ટ્વીટ કર્યું છે કે તેઓ આ દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છે. હાલ તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે. અને તેઓ આ સંદર્ભે જિલ્લા તંત્ર સાથે સતત સંપર્કમાં છે.

- text

- text