ઝૂલતા પુલ દુર્ઘટના : બચાવ કાર્ય માટે સૌરાષ્ટ્રના અનેક સ્થળોએથી એમ્બ્યુલન્સ બોલવાય

- text


મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં બચાવ કાર્યને વેગ આપવા માટે તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના અનેક સ્થળોએથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે.

મોરબીમાં ઝૂલતો પુલ આજે સાંજે તૂટી પડતા અનેક લોકો પાણીમાં ડૂબ્યા છે. હાલ બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યા છે. પાણીમાં ડૂબેલા લોકોને તાત્કાલિક બહાર કાઢી મોરબી જિલ્લાની 12 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ બચાવ કાર્ય ઝડપથી થાય તે માટે હજુ પણ રાજકોટ, જામનગર, ધ્રોલ, જોડિયા સહિતના સ્થળેથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી રહી છે.

- text

- text