- text
મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં બચાવ કાર્ય માયે તરવૈયાઓ અને ખાનગી એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચવા માટે અપીલ કરવામાં આવી છે. જેથી બચાવ કાર્ય ઝડપથી થઈ શકે.
મોરબીનો ઝૂલતો પુલ આજે સાંજના અરસામાં તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક લોકો નદીમાં ડૂબ્યા છે. હાલ મોટી સંખ્યામાં તરવૈયાઓ અને 108 તેમજ ખાનગી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્યમાં જોડાઈ છે. હજુ પણ વધુ તરવૈયાઓ અને ખાનગી એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
- text
- text